મહાભારતના ધર્માવતાર વિદુરના ઉપેક્ષિત જ્ઞાનની અપૂર્વકથા એટલે શૂદ્રાવતાર!જે ક્ષણે જ્ઞાન ઉપેક્ષિત થાય છે એ જ ક્ષણે સમાજની અધોગતિનો ગર્ભ બંધાઈ જાય છે. ઉપેક્ષિત અને અપમાનિત જ્ઞાનની નિઃશબ્દ ચીસ દશે દિશાઓને ધ્રુજાવી દે છે. વિદુર ધૃતરાષ્ટ્ર અને પાંડુનો નાનો ભાઈ છે. જ્ઞાન અને ધર્મનો અવતાર છે. મહાભારતયુગના વ્..